” સાત અખંડ પૂનમ જે ભરતા , ક્ષેત્રપાલ વીર તેને ફળતા “

બે કળશ દેરાસરોની આસપાસ નિર્માણ પામનાર બે લઘુ મંદિરો પૈકીના પ્રથમ મંદિર માં વિરાજિત છે શ્રી શ્રેત્રપાલ વીર દાદા. પ્રત્યેક જનસમુદાય ના રક્ષકદેવ એવા શ્રી ક્ષેત્રપાલ વીર ના આશીર્વાદ પામી વ્યક્તિ જીવનમાં સંપૂર્ણ સુરક્ષિત હોવાનો અનુભવ કરે છે. શ્રી ક્ષેત્રપાલ વીરના આ મંદિરના દર્શન કરી વીર ને સુખડીનો પ્રસાદ ધરાવનાર ભક્ત સર્વ તકલીફોમાંથી મુક્તિ મેળવે છે.